June 7, 2025 10:47 am

Patan | ‘જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’_પાટણ પાટણ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારના જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દીવાનજી ઠાકોરે હોલિયા દ્વારા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યું

ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે, અને ખેતીની ઉપજ સારી મળે છે:-ખેડૂત દીવાનજી ઠાકોર

જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું છે. આ અભિયાન ખેતી, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે. ગુજરાતમાં ‘જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે, જે ખેત તળાવો, ચેકડેમ અને વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે.

પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે. જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂતશ્રી દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઇની જરૂરિયાત પૂર્ણ કરી છે. તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે. હોલીયા ને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી. તેઓ કહે છે કે આવા હોલીયા જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવે તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે.

ખેડૂતશ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા વિભાગમાંથી હોલિયાની સહાય મને મળેલી છે, દરેક ખેડૂત હોલિયાનો ખેતરમાં ઉપયોગ કરે તો પાણીના સ્તર પણ ઊંચા આવે અને આજુબાજુના ખેડૂતને કામ હોય તો પણ ઉપયોગમાં આવે છે. હોળિયો ખેતરમાં મૂકવાથી ખેતીના પાકોની ઉપજ પણ સારી મળે છે. હોલિયાનો મુખ્ય હેતુ ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોળિયામાં સંગ્રહ થતુ હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें