પાટણ.
ચાણસ્મા અને સરસ્વતી તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ના નેતૃત્વમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દેશ વ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે
જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા 7 જૂનના રોજ ચાણસ્મા તાલુકાના ખોખલા, ભાટવાસણા, ખારીધારીયાલ ગામોમાં તથા સરસ્વતી તાલુકાના વાછલવા, કિમ્બુવા, રવીયાણા ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, રિલાયન્સ ફાઉન્ડેશન, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ યુનિવર્સિટી વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, અડદ, કપાસ, દિવેલા વગેરે પાકોની આધુનિક ખેત પદ્ધતિ, નેનો ફર્ટિલાઇઝર, બાગાયતી ખાતાની યોજનાઓ, બાગાયતી પાકોની ખેત પદ્ધતિ, પશુપાલન યોજનાઓ,ચોમાસુ ઋતુમાં પશુમાં થતા રોગો, વાછરડી પાડી આવે તેવું બીજદાન, કૃમિ નિવારણ-રસીકરણ, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ વગેરે વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક બદલી, ઔષધીય પાકો, જીવાત નિયંત્રણ, ડ્રોન ટેકનોલોજી થકી દવાનો છંટકાવ વગેરે બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
