પાટણ (રાધનપુર),
આહીર સમાજ ના જાણીતા સામાજિક આગેવાન અને લોકસેવાના પ્રહરી જવાહરભાઇ ચાવડાએ રાધનપુરની મુલાકાત લઈ આહીર સમાજના નવનિર્મિત કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તેમણે છાત્રાલયની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને સમાજ દ્વારા નારી શિક્ષણ અને સશક્તિકરણ માટે લેવાયેલા પગલાંની પ્રશંસા કરી.
આહીર સમાજે સ્થાપિત કરેલું આ છાત્રાલય માત્ર ભૌતિક માળખું નહીં પરંતુ સમાજની આગવી દ્રષ્ટિ, સંસ્કાર અને શિક્ષણ પ્રતિ પ્રતિબદ્ધતાનું જીતીતુ ઉદાહરણ છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ ચાવડા સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
જવાહરભાઈએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે,
“આહીર સમાજે હંમેશા સમાજ માટે જીવવાનું શીખવ્યું છે.
આજે રાધનપુરમાં જે કાર્ય થયું છે તે માત્ર શૈક્ષણિક સુવિધા નથી, પરંતુ નારી સશક્તિ તરફ society નું સચેત પગલું છે. મારી લાગણીઓ આ સ્થળ સાથે ગાઢ રીતે જોડાઇ ગઈ છે.”
આ મુલાકાતે માનવીય લાગણીઓ અને સામૂહિક સહકારનો જીવંત પાટો ફરી એકવાર ઉકેલાયો હતો. સમાજના વિકાસ માટે જે દિશામાં આહીર સમાજ કાર્યરત છે તે નિહાળતા ચાવડા સાહેબે પણ પોતાનું ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું હતું.
આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યુ કે,
“જવાહરભાઈ ચાવડાનું આગેવાની ભવ્ય ઉદાહરણ છે. તેઓ માત્ર નેતા નહિ પણ સમગ્ર આહીર પરિવારમાં આશાનું પ્રકાશ છે.”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
