કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દેશ વ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા 12 જૂનના રોજ સિધ્ધપુર તાલુકાના મામવાડા, ઠાકરાસણ, નાંદોત્રી, બિલિયા, લાલપુર, ધુમ્મડ ગામોમાં કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, ઈફ્કો, રિલાયન્સ ફાઉન્ડેશન, ગુજરાત પાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ યુનિવર્સિટી વગેરે વિભાગના અધિકારીઓ જેમ કે કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. ઉપેશકુમાર તથા અન્ય વૈજ્ઞાનિકો, ઔષધીય કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મનીષ સુથાર, ડીડી ગીરનારના પ઼તિનિધિ ભરતભાઈ, ઈફ્કોના પ઼તિનિધિ ભૂપેશભાઈ વગેરે દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, અડદ, કપાસ, દિવેલા વગેરે પાકોની આધુનિક ખેત પદ્ધતિ, નેનો ફર્ટિલાઇઝર, બાગાયતી ખાતાની યોજનાઓ, બાગાયતી પાકોની ખેત પદ્ધતિ, પશુપાલન યોજનાઓ,ચોમાસુ ઋતુમાં પશુમાં થતા રોગો, વાછરડી પાડી આવે તેવું બીજદાન, કૃમિ નિવારણ-રસીકરણ, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ વગેરે વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી.
આ અભિયાન ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક બદલી, ઔષધીય પાકો, જીવાત નિયંત્રણ, ડ્રોન ટેકનોલોજી થકી દવાનો છંટકાવ વગેરે બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
