અમદાવાદ. અમદાવાદ: આજે શહેરમાંથી ટેકઓફ કરતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ બાદ અચાનક મેઘાણીનગર વિસ્તારમાં ધડાકા સાથે ક્રેશ થયું. દુર્ઘટનામાં અનેક પ્રવાસીઓના મોત થયા હોવાની આશંકા છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વિમાનમાં અંદાજે ૨૪૨ મુસાફરો હોવાનો અંદાજ છે. ઘટના સ્થળે આગ અને ધુમાડાની સ્થિતિ સર્જાતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં સતત સક્રિય છે.
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ દ્વારા શોક સંદેશ પાઠવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય રાજકીય આગેવાનો દ્વારા પણ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
“અહમદાબાદમાં થયેલી વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મૃતકોને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે,” એવી પરિવાર જનો સાથે સમગ્ર ગુજરાત દુઃખમાં સહભાગી બન્યું છે.
