Ahemdabad. એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાની ગંભીર ઘટના બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોંચ્યા હતા.
તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી રાહત તથા બચાવ કામગીરીનું તફસીલવાર નિરીક્ષણ કર્યું.
પ્રધાનમંત્રીએ ઘટના બાદ તાત્કાલિક પ્રવૃત્તિમાં જોડાયેલા NDRF, ફાયર બ્રિગેડ, પોલીસ તથા તબીબી વિભાગના અધિકારીઓ અને સભ્યો સાથે મુલાકાત કરી. તેમણે તેમની થતી કઠિન મહેનત અને સતત સેવા માટે આભાર વ્યક્ત કર્યો અને જરૂરિયાત મુજબ તમામ કેન્દ્રિય સહાયતા પૂરી પાડવાનો આશ્વાસન આપ્યો.
મોદીજીે જણાવ્યું હતું કે,
“આ ઘટના દુખદ છે. પરિસ્થિતિ સામે લડતાં દરેક યોદ્ધાઓની સેવા પ્રેરણાદાયક છે. સરકારે તાત્કાલિક અને લાંબા ગાળાના તમામ પગલાં લેવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.”
દુરદ્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમણે ઘાયલોના વહેલી તકે સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી. તંત્રને સ્પષ્ટ સૂચના આપી કે, રાહતમાં કોઈ કચાશ ન રહે અને DNA ચકાસણી સહિત તમામ પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે.
