June 15, 2025 6:17 am

Patan | પાટણના સરસ્વતી તાલુકામાં ૧૭ વર્ષની કિશોરીનું અપહરણ, સમગ્ર વિસ્તારમાં ચકચાર     

પાટણ.   પરિવારે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા.. 

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામ માંથી ૧૭ વર્ષની કિશોરી ગાયબ થઈ હોવાની ધટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. તો કિશોરી ગુમ થવાના મામલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હોય પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતી ૧૭ વષૅની કિશોરી તા. ૮ જૂનની રાત્રે ઘરના આંગણામાં સૂતી હતી તેણી સવારે ૫ વાગે જ્યારે તેના ખાટલા પર જોવા ન મળતા પરિવારે શોધખોળ શરૂ કરી.કિશોરીની માતાના પ્રથમ લગ્નથી જન્મેલી આ સગીરા તેના સાવકા પિતા સાથે રહેતી હતી. તેની માતાએ પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સરસ્વતી તાલુકાના આ ગામમાં બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નથી તેને બે સંતાનો પણ છે.

પરિવારે આરોપ મૂક્યો છે કે ગામનો એક યુવક કિશોરીનું અપહરણ કરી ગયો છે. કિશોરી તેની કાકીના ફોનથી કોઈક સાથે સગપણની વાતચીત કરતી હતી. તે ફોન નંબર અને યુવક સાથેની છેલ્લી વાતચીતના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક પણ તે જ રાત્રે ઘરેથી ગાયબ થઈ ગયો છે. આ બાબતે પરિવારે સરસ્વતી પોલીસમાં કિશોરી ના અપહરણ

ની ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચઢાવ ગ્રામ પંચાયત સમરસ બની. ગામના સરપંચ તરીકે નિલેશ્વરી મનીષભાઈ પટેલ તથા વોર્ડના સભ્યો ટ્વિન્કલ મિલન પટેલ,રાજુભાઈ ખુશાલભાઈ પટેલ, પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ, તૃષા સુનિલભાઈ પટેલ,નરેશભાઈ રામાભાઈ પટેલ, ભાવના હર્ષદભાઈ પટેલ, અમૃત લાછાભાઈ પટેલ, મીનાક્ષી વિજયભાઈ પટેલ તમામ સભ્યો બિનહરીફ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો.