June 15, 2025 4:50 am

Patan | પાટણ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાને પકડી પાડતી એસ.ઓ.જી.શાખા, પાટણ

ભારતદેશમાં હાલ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી રાજય સરકાર દ્રારા ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિદેશી નાગરીકો શોધી કાઢી જેમના વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના કરતાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સા.શ્રી, ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જી.સોલંકી એસ.ઓ.જી. પાટણે ટીમ બનાવી કાર્યરત કરેલ જે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, પાટણ સીટી એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ત્રણ બાંગ્લાદેશી મહિલા આવી મજુરી અર્થે રોકાયેલ છે તે હકિકત આધારે પરીણામલક્ષી કાર્યવાહી કરતાં જે જગ્યાએથી (૧) તસ્કુરાનાખાતુન ડૉ/ઓ અઝરૂલ ઇસ્લામ જાતે- શેખ ઉ.વ.-૩૧ મુળ-૨હે. બસંતપુર, જી.સાતખીરા, થાના-કલરોહા,ખુલના(બાંગ્લાદેશ) (૨) પોલીબેગમ ડો/ઓ અબ્દુલ સત્તાર રહેમાન જાતે-મુલ્લાહ ઉ.વ.-૪૦ મુળ-રહે. રામાનંદપુર પોસ્ટ મદંગતી થાના-કાલીયા,જી.નોરાડ, ખુલના(બાંગ્લાદેશ) (૩) સામસુન્નાહાર ડો/ઓ હુસૈનકારી મૌતુલ્લાગાજી જાતે-ગાજી(મુસ્લીમ) ઉ.વ.-૩૫ મુળ-રહે. ગામ- ચોટો અચરા, પોસ્ટ ઓફિસ-બેનાપોલ ૭૪૩૧, શારશા, બેનાપોલ મ્યુનિસિપાલીટી, જેસોર, થાના-બેનાપોલ તા.બેનાપોલ જિ.જેસોર, ખુલના(બાંગ્લાદેશ) વાળા મળી આવેલ છે.

સદર કાર્યવાહીમાં મળી આવેલ ત્રણે મહિલાઓની પુછપરછ કરતાં જે પોતાની પાસે પાસપોર્ટ કે, ભારતદેશમાં આવવા અંગેના કાયદેસરના વીઝા નહી હોવાનું જણાવેલ છે. જેમાંથી એક મહિલા નામે તરસ્કુરાનાખાતુન ડૉ/ઓ અઝરૂલ ઇસ્લામ જાતે- શેખ ઉ.વ. ૩૧ માહે જાન્યુઆરી ૨૦ર૪ સાલમાં બાંગ્લાદેશની સુનાબેરી બોર્ડર પાસ કરી ગે.કા. રીતે ભારતદેશમાં ઘુસણખોરી કરેલ અને હાવડા સુધી આવેલ ત્યાંથી રેલ્વે સ્ટેશનથી અમદાવાદ આવેલ અને ત્યાંથી પાટણ આવેલ હોવાની હકિકત જણાવેલ છે. બીજી મહિલા નામે પોલીબેગમ ડો/ઓ અબ્દુલ સત્તાર રહેમાન જાતે-મુલ્લાહ ઉ.વ.-૪૦ આશરે પાંચ વર્ષ અગાઉ મોજેડા ગામના ઇસમ દ્વારા બાંગ્લાદેશની બેનાફુલ બોર્ડર પાસ કરી ગે.કા. રીતે ભારતદેશમાં ઘુસણખોરી કરેલ અને હાવડા સુધી આવેલ ત્યાંથી રેલ્વે સ્ટેશનથી અમદાવાદ આવેલ અને વટવા કેરેલા બ્રિજ હિંદુસ્તાન કોલોની ખાતે રૂમ ભાડે રાખી રહેલ તથા છેલ્લા એક વર્ષથી સુરત ખાતે રહેતા તથા કામ અર્થે પાટણ આવેલ હોવાની હકિકત જણાવેલ છે. ત્રીજી મહિલા નામે સામસુન્નાહાર ડો/ઓ હુસૈનકારી મૌતુલ્લાગાજી જાતે-ગાજી(મુસ્લીમ) ઉ.વ.-૩૫ હાલ રહે. ગોતાવાળા તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશની બેનાફુલ બોર્ડર પાસ કરી ગે.કા. રીતે ભારતદેશમાં ઘુસણખોરી કરેલ અને હાવડા સુધી આવેલ ત્યાંથી રેલ્વે સ્ટેશનથી અમદાવાદ આવેલ અને ગોતા વિસ્તારમાં રૂમ ભાડે રાખી રહેતા અને છેલ્લા પાંચ મહિનાથી અલગ-અલગ હોટેલોમાં રહેતા અને તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ પાટણ આવેલ હોવાની હકિકત જણાવેલ છે.

ઉપરોકત તમામ મહીલા બાંગ્લાદેશી નાગરીક હોવાનું તપાસમાં ફલીત થયેલ છે તેમજ જે અંગેના તેમના જરૂરી આધાર પુરાવા પણ મળેલ છે. સદર મહીલાઓ બાંગ્લાદેશી નાગરીક હોવા છતાં પોતાના પાસપોર્ટ કે ભારતદેશમાં પ્રવેશ કરવાના કાયદેસરના વિઝા વગર ગેરકાયદેસર રીતે બોર્ડર પસાર કરી ભારતદેશમાં આવી રોકાયેલ હોવાથી તેઓને પકડી પાડી તેમની વિરુધ્ધ THE FOREIGNERS ACT, 1946 મુજબની કાર્યવાહી એસ.ઓ.જી પાટણથી હાથ ધરેલ છે.

પકડાયેલ બાંગ્લાદેશી મહીલાઓના નામ સરનામુઃ-

(૧) તરકુરાનાખાતુન ડૉ/ઓ અઝરૂલ ઇસ્લામ જાતે- શેખ ઉ.વ. ૩૧ મુળ-રહે. બસંતપુર, જી.સાતખીરા, થાના-કલરોહા,ખુલના(બાંગ્લાદેશ

(૨) પોલીબેગમ ડો/ઓ અબ્દુલ સત્તાર રહેમાન જાતે-મુલ્લાહ મુળ-રહે. ઉ.વ.-૪૦ રામાનંદપુર પોસ્ટ મદંગતી થાના-કાલીયા,જી.નોરાડ, ખુલના(બાંગ્લાદેશ)

(3) સામસુન્નાહાર ડો/ઓ હુસૈનકારી મૌતુલ્લાગાજી જાતે- ગાજી(મુસ્લીમ) ઉ.વ.-૩૫ મુળ-રહે. ગામ- ચોટો અચરા, પોસ્ટ ઓફિસ-બેનાપોલ ૭૪૩૧, શારશા, બેનાપોલ મ્યુનિસિપાલીટી, જેસોર, થાના-બેનાપોલ તા. બેનાપોલ જિ.જેસોર, ખુલના(બાંગ્લાદેશ)

Leave a Comment

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચઢાવ ગ્રામ પંચાયત સમરસ બની. ગામના સરપંચ તરીકે નિલેશ્વરી મનીષભાઈ પટેલ તથા વોર્ડના સભ્યો ટ્વિન્કલ મિલન પટેલ,રાજુભાઈ ખુશાલભાઈ પટેલ, પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ, તૃષા સુનિલભાઈ પટેલ,નરેશભાઈ રામાભાઈ પટેલ, ભાવના હર્ષદભાઈ પટેલ, અમૃત લાછાભાઈ પટેલ, મીનાક્ષી વિજયભાઈ પટેલ તમામ સભ્યો બિનહરીફ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો.