Patan. News. આજરોજ પાટણ જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટે વન કવચ સંડેરની મુલાકાત લીધી હતી.
પાટણ વન વિભાગ દ્વારા પાટણ સંડેર ગામ ખાતે વન કવચ અને બટરફલાય ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી દ્વારા લેવામાં આવી હતી.
આ મુલાકાત વખતે સંડેર ગામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરશ્રીનું સિદુરના રોપાથી સુસ્વાગતમ્ કરવામાં આવ્યું હતુ બાદ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના વરદ હસ્તે સિંદુરના રોપાનું વુક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સરપંચ શ્રી મહેન્દ્રભાઈ પટેલ , તાલુકા સદસ્યશ્રી અમીતભાઈ પટેલ, શ્રી વી એલ દેસાઈ વનપાલ બાલીસણા , તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
