barara Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બરારા ગામમાં ગ્રામ પંચાયતની 2025ની ચૂંટણી બરારા ગામના સરપંચ પદ માટે ઉમેદવાર બનનાર કંકુબેન માદેવભાઈ આહિર.
તેઓ ગામના વિકાસ માટે “વેલણ પાટલા” ના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગામના તમામ વોર્ડના ઉમેદવારો સાથે સંકલિત રીતે કાર્ય કરવાની અને સમગ્ર પેનલને વિજયી બનાવવા ગામજનોને અનુરોધ કરી રહ્યાં છે.
મુખ્ય મુદ્દાઓ અને સંકલ્પો:
કંકુબેનના મુખ્ય વચનોમાં પીવાના પાણીની કાયમી વ્યવસ્થા, ગામના રસ્તા અને ગટરની સમસ્યા ઉકેલવી, વિજળીની યોગ્ય સુવિધા, તેમજ યુવા અને મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરવાનો મક્કમ નિણર્દય છે.
તેમણે જણાવ્યું કે –
“બરારા ગામના દરેક નાગરિકના ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો મારો પ્રથમ લક્ષ્યાંક છે. સાથે જ ગામમાં શાળાની સુવિધા સુધારવા, આરોગ્ય અને સ્વચ્છતા માટે પણ સતત પ્રયત્નશીલ રહીશું.”
તેમજ તેઓ ગામમાં જુદી જુદી યુવાઓ અને વૃદ્ધો માટે ખાસ યોજના તથા સહાય પ્રણાલીઓ લાવવાનો પણ સંકલ્પ ધરાવે છે.
વિનંતી ગામજનોને:
“આવો સૌ મળીને સમજૂતીપૂર્વક મતદાન કરીએ અને ‘વેલણ પાટલા’ ના નિશાન પર મત આપી કંકુબેનને ભવિષ્યના વિકાસ માટે તક આપીએ.”
મતદાન તારીખ: 22/06/2025 – રવિવાર
સમય: સવારે 8:00 થી સાંજના 5:00 સુધી
વિજયી બનાવો – બરારા ગામને વિકાસમાર્ગે દોરો!
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
