Patan. પાટણ જીલ્લાના વાતાવરણ માં 2 દિવસ થી પલટો જોવા મળ્યો છે ત્યારે હારીજ પંથકમાં ગતરોજ તા.15ના રોજ વાતાવરણમાં પલટાતા મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા વાવાઝોડા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન વીજળીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે રાત્રીના સમયે અચાનક વીજળી પડતા હારિજના સાંકરા ગામે વાડામાં બાંધેલ ખેડૂત પરિવારની ભેંસો પર વીજળી પડતા મોત થયું હતું.
વાવાઝોડા સાથે વીજળી કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે બે ભેંસના મોત થવાની ઘટના બનવા પામી હતી
આકસ્મિક બે ભેંસોના મોત થતા ખેડૂતે પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ અંદાજે ૧લાખ ઉપરાંતની કિંમતના પશુઓ મૃત્યુ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ખેડૂત જીગરજી ઠાકોરેની પોતાની બે ભેંસના મોત થતા તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખેડૂત પરિવારે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી
