હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુરમાં પ્રમુખશ્રી ડૉ. મહેશભાઈ મુલાણી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોનો શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાયચંદભાઈ, કોષાધ્યક્ષ શ્રી ધીરુભાઈ, કોલેજના પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર તેમજ ટ્રસ્ટના વિવિધ કેમ્પસના આચાર્યોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.
શ્લોક ગાન કરી ટ્રસ્ટ ગણ અને વિવિધ કેમ્પસના આચાર્ય દ્વારા બે મિનિટનું મૌન ધારણ કરી દિવ્ય આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી
હતી. ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેશભાઈ મુલાણી દ્વારા શાબ્દીક શબ્દોથી મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી તેમજ દુઃખની લાગણી વ્યક્ત કરી કે ખરેખર આપણા દેશ માટે ખૂબ જ દુઃખદ દુર્ઘટના કહેવાય.તેમજ મૃતક પરિવારજનો પર જે આફત આવી છે તે સહન કરવા માટે પરમાત્મા તેમને શકિત આપે એવી પ્રાર્થના કરી શોકની લાગણી વ્યકત કરી.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
