Radhanpur. પાણીનો નિકાલ ના થતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર.ધારાસભ્ય ના નિવાસ સ્થાન વિસ્તારમાં જ પાણી ભરાયા
પાટણ જીલ્લાના રાધનપુરના મસાલી રોડ પર 2 દિવસ દરમિયાન વરસાદ નૂ આગમન થતાં શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદનું પાણી હજી સુધી નીકળી શક્યું નથી.ત્યારે મસાલી રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ પછી ત્રણ દિવસ વીતી ગયા છતાં પાણી ઓસરવાનું નામ લેતું નથી ત્યારે લોકો પણ આ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.
ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદથી આવી સ્થિતિ સર્જાઈ હોય તો આગળ ભારે વરસાદમાં શું હાલત થશે એ પ્રશ્ન શહેરીજનો માં ઊભો થયો છે. મસાલી રોડ પર પાણી ભરાવાની સમસ્યા સતત રહેતી હોય દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે. આં વિસ્તારમાં રાધનપુર ના ધારાસભ્ય નૂ નિવાસ સ્થાન આવેલ છે ત્યારે પ્રજાના પ્રશ્ન નૂ નિરાકરણ લાવવા ધારાસભ્ય પણ આગળ આવે તંત્ર દ્વારા કાયમી નીકાલ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
