પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં આહીર છાત્રાલય આવેલ છે તેની સાથે મુરલીધર સ્કૂલ પણ ચલાવવામાં આવે છે જ્યાં ગોતરકાના એક વિદ્યાર્થીએ એડમિશન માગતા તેમના તંત્ર દ્વારા એવું કહેવામાં આવેલ કે જો બાળક અમારી સ્કૂલમાં અભ્યાસ કરે તો જ અમો તેને છાત્રાલયમાં એડમિશન આપશો નહિતર અમારા છાત્રાલયમાં કોઈ એડમિશન આપવામાં આવશે નહીં આવું જ એક ગોતરકા ગામના એક બાળક જે અન્ય સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેઓને છાત્રાલયમાં એડમિશન આપવાની મનાઈ કરી હતી . કોઈપણ બાળક કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરી શકે અને તેમની મનગમતી હોસ્ટેલમાં રહી શકે તેના માટે તેના ઉપર કોઈ જાતનો દબાણ લાવી શકાય નહીં આહિર છાત્રાલય તેમની મનમાની અને તેમના ઘરના કાયદા ઘડી વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવા તરફ જઈ રહ્યું છે ત્યારે સરકારશ્રીએ આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ જેથી અભ્યાસની બાબતમાં કોઈ સ્કૂલ કે છાત્રાલય તેમની મનમાની કરી શકે નહીં આજે ભણતરને માત્ર પૈસા કમાવા માટે મોટી મોટી ફી વસૂલ કરી ગરીબ લોકોને હાલાકી ભોગવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
