સાતલપુર-રાધનપુર તાલુકામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીમાં ગેરરીતિ અટકાવવાના હેતુસર સ્થાનિક જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને અગત્યની રજૂઆત કરી છે.
જાહેર થયેલી રજૂઆતમાં કહેવાયું છે કે ભૂતકાળમાં મતગણતરી દરમિયાન બેલેટ ગુમ થવા, ઘોટાળાઓ થવા, અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કાઉન્ટિંગ ટેબલ પર દબાણ થવા અને એકાદ બે મતે જીતફેર થવા જેવા ગંભીર આક્ષેપો થયા છે.
જેમા ખાસ કરીને સત્તાપક્ષના પદાધિકારીઓ કાઉન્ટિંગ ટેબલની આસપાસ રહી મતગણતરીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરતા હોય છે, એવી ફરિયાદો આવે છે. જેથી આવી ઘટનાઓ પુનઃ ન બને એ માટે મતગણતરી સ્થળે CCTV કેમેરા ફરજિયાત કરવા અને મતગણતરીના ટેબલ આસપાસ કોઈપણ અનધિકૃત વ્યક્તિ ન આવતી કરવા કડક સુચનાઓ આપવા માંગણી કરવામાં આવી છે.
સ્થાનિક લોકશાહી અને ચૂંટણીની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્રે આ રજૂઆતને ગંભીરતાથી લેવી જોઈએ અને મતગણતરી દરમિયાન CCTV નિગરાનીથી તટસ્થતા સુનિશ્ચિત કરવી જોઈએ તેવી લોકભાવના ઉઠી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
