June 22, 2025 3:07 am

કાંકરેજના કંબોઈ ગામે અબોલ જીવ સામે બેરહેમી : નંદી (આખલા) પર લોખંડની બરછીથી અત્યાચાર, ગામલોકોએ બચાવ કર્યો

કંબોઈ ગામના અદાણી પાર્ટી બસ સ્ટેશનથી ગાયત્રી વિદ્યાલય તરફ જતા માર્ગ પર આજે સવારે એક ભયાનક અને હ્રદયવિદારી દૃશ્ય સામે આવ્યું. રસ્તા ઉપર એક કાળા રંગનો નંદી (આખલો) લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો. તેના પેટમાં કોઈ અજાણ્યા શખ્સે લોખંડની બરછી ઘૂસાડેલી હતી, જે લગભગ બે વેથ જેટલી અંદર ઘૂસેલી હતી.

કાંબોઇ ગામના જીવદયા પ્રેમી ભુવાજી ચેહરસિંહ અને અન્ય ગામલોકો – જેમા યુવક અને વૃદ્ધો સહીત અનેક લોકો જોડાયા – ઘટનાસ્થળે દોડી આવ્યા. તેમણે ગંભીર રીતે ઘાયલ નંદીને કાબૂમાં લીધો અને ખૂબ જ સંવેદનશીલતાથી બરછી બહાર કાઢી તાત્કાલિક પાટા-પીડી અને પ્રાથમિક સારવાર આપી. નંદીનું હાલત અત્યંત નાજુક હોવા છતાં ગામલોકોની મહેનતથી તેને રાહત મળી છે.

અગાઉ પણ બન્યા છે આવા બનાવો:

“અમારા ગામમાં અગાઉથી આવી ઘટનાઓ ઘટતી આવી છે. 

અબોલ જીવાઓ પર અત્યાચારના અનેક બનાવો બન્યા છે. ખાસ કરીને નંદીઓ (આખલાઓ)ને લોખંડ જેવી હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવે છે, જેના કારણે દર અઠવાડિયે એક નંદીનું દુ:ખદ મોત થાય છે. આવા પાશવી્ય કરતૂતોના કારણે ગામના શ્રદ્ધાળુઓ અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. અમારી વિનંતી છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, આવા ઘાતકી કૃત્યો કરતા તત્વોને પકડવામાં આવે અને પાશુપાલન કાયદા હેઠળ કડક સજા કરવામાં આવે.”

અહેવાલ ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें