Patan. નિરામય જીવન જીવવા ‘યોગ’ ભારત તરફથી મળેલી દેનને આંતરરાષ્ટ્રીય ફલક પર અમીટ છાપ ઊભી કરી છે. જેથી દુનિયાભરમાં 21 જુનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે.
પાટણ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જિલ્લાના આઇકોનીક સ્થળ તેમજ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ઉજવણી કરવામાં આવી.
૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ જીલ્લામાં નિર્માણ પામેલા મનરેગા યોજના હેઠળ નિર્મિત અમૃતસરોવર પર પણ આ ઉજવણી કરવામાં આવેલ છે.
જીલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
