June 26, 2025 11:24 pm

Radhanpur : ગેરકાયદેસર કતલખાના મુદ્દે રાધનપુરમા હિન્દુ સંગઠનના ધરણાં, તંત્ર સામે ઉગ્ર ચેતવણી

રાધનપુરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાની રજૂઆત છતાં ૩ દિવસથી તંત્ર મૌન. તંત્ર કામગીરી નહીં કરે તો આગામી સમયમાં સંગઠનો દ્વારા બજારબંધ નુ એલાન

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો જેમાં અખિલ ભારત હિંદુ મહાસભા અને હિન્દૂ સંગઠનો દ્વારા ગાંધી ચોક નગર પાલિકા ખાતે લોકો ધરણા પર બેઠા છે.

રાધનપુરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાની રજૂઆત છતાં ૩ દિવસથી તંત્ર મૌન સેવી રહ્યું મામલો ઉગ્ર બન્યો છે.રાધનપુર પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ ને રજુઆત કરવામાં આવી છે.

અખિલ ભારત હિન્દૂ મહાસભા સંગઠન દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું છે.ત્યારે રાધનપુર ન. પાલિકા સામે ઉગ્ર આક્રોશ સાથે બેઠેલા લોકોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ વિકરાળ બનશે તેવું સંગઠનના હોદેદ્દાર મેવાભાઇ ભરવાડ મંત્રીએ જણાવ્યું હતું.

પાલિકા માં શ્રીરામ ધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો:

રાધનપુર પાલિકા માં હિન્દૂ સંગઠનો દ્વારા શ્રી રામ ધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

મોટી સંખ્યામાં મળેલા હિન્દૂ સંગઠનો દ્વારા નારેબાજી કરી કતલખાના બંધ કરો.. બંધ કરોના નાદ સાથે શ્રી રામ ધૂન બોલાવી પાલિકામાં વિરોધ દર્શાવ્યો હતો.રાધનપુર પાલિકામાં અખિલ ભારત હિન્દૂ મહાસભા અને હિન્દૂ સંગઠનો દ્વારા ઘરણા પ્રદર્શન કરી પાલિકા પહોંચી લોકોએ ઉગ્ર રોષ નોંધાવ્યો છે.

હિંદુ મહાસભાની ટીમે ચેતવણી આપી:-

હિંદુ મહાસભાની ટીમે ચેતવણી આપી કે ‘જો તંત્ર જવાબ નહીં આપે તો ચક્કાજામ, ઉપવાસ, બંધ સહિત આત્મવિલોપન જેવા વિકલ્પો અપનાવાશે.સાથે જ રાધનપુર ગાંધી ચોકમાં ગૌ રક્ષક, હિન્દૂ સંઘઠનો સહીત અખિલ ભારત હિન્દૂ મહાસભાના હોદ્દેદારો અને જોડાયેલા લોકોની જમાવટ વચ્ચે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો

પાલિકામાં અખીલ હિન્દુ મહાસભા સાથે અનેક હિન્દુ સંગઠનો જોડાયા:-

સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને અહીં પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકામાં તેમજ રાધનપુર નગરપાલિકામાં ભાજપની સરકાર છે. અને રાધનપુર ખાતે છેલ્લા ઘણા સમયથી હિન્દુ મહાસભા દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા વારંવાર લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પ્રસાસન નું પેટનું પાણી નથી હલતું નથી.

શહેરમાં ઠેર ઠેર કતલખાના નોન-વેજ ની હોટલો ગેરકાયદેસર રીતે ચાલે છે:

રાધનપુરમાં નિર્દોષ અબોલ જીવોની રોજેરોજ અસંખ્ય પ્રમાણમાં હત્યાઓ થઈ રહી છે.રાધનપુર શહેરમાં ઠેર ઠેર કતલખાના નોન-વેજ ની હોટલો ગેરકાયદેસર રીતે ચાલે છે અને નિર્દોષ અબોલ જીવોની રોજેરોજ અસંખ્ય પ્રમાણમાં હત્યાઓ થઈ રહી છે.એ અટકાવવા માટે સનાતની હિન્દુ ધર્મની રક્ષા કાજે સનાતની ધર્મ માટે હિન્દુ મહાસભાની ટીમ દ્વારા સ્થાનિક વહિવટી તંત્ર અને નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક કાયદેસરની કાર્યવાહી કરી નથી.જેને લઇને હિન્દુ મહાસભા દ્વારા તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને રામધૂન બોલાવી ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ઉકેલ નહીં આવેતો આગામી સમયમાં ગુજરાતના તમામ જીલ્લા તાલુકામાં હિન્દૂ મહાસભાની ટીમ દ્વારા પ્રદર્શન કરાશે:

આ મુદ્દે તાત્કાલિક ધોરણે ઉકેલ નથી આવે તો હિન્દૂ સંગઠનો દ્વારા ગુજરાતના તમામ જીલ્લા તાલુકા અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા રાધનપુર ખાતે આ ધરણાં કાર્યક્રમમાં ભાગ લેવા જોડાશે.અને ગુજરાત ભરમાં આવાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલતાં બંધ કરાવવા માટે જે પણ કરવાનું થાય તે માટે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ તેમજ હિન્દુ સંગઠનો તૈયાર છે.સનાતની ધર્મની રક્ષા માટે કોઈ પાછી પાની નહીં કરવામાં આવે.

રાધનપુરમાં કતલખાનાને કારણે ગંદકી દુર્ગંધના કારણે રોજેરોજ સનાતની લોકો પરેશાન :

રાધનપુર વિસ્તારમાં આવા ગેરકાયદેસર કતલખાના બેરોકટોક ચાલવા દે છે તે કેટલું યોગ્ય અને શું ભાજપ સરકાર એવું ઈચ્છે છે નિર્દોષ અબોલ પશુઓ ની હત્યા કરવામાં આવે?? ભાજપ સરકાર ઈચ્છા રાખે છે રાધનપુર જેવા શહેરના લોકો શહેર છોડી બીજી જગ્યાએ વસવાટ કરવા ભાગી જાય?? રાધનપુર શહેરમાંથી આ કતલખાના ને કારણે ગંદકી દુર્ગંધ ના કારણે રોજેરોજ સનાતની લોકો પોતાની મિલકત વેચીને બહારના વિસ્તારમાં ભાગી રહ્યા છે.. શું સ્થાનિક નેતાઓ આ નથી જાણતા?? કે પછી નગરપાલિકા માં ચુંટાયેલા અમુક વિધર્મીઓ ને કારણે કે તેમના દબાણવશ ને કારણે મોં પર પટ્ટી ધારણ કરી છે? કે પછી આ નેતાઓની જ ભાગીદારી કે માલિકી કે પછી કંઈ ખાનગીમાં વહીવટ કરી રહ્યા છે? જો કંઇ આવી મેલી મુરાદ હોય તો સનાતની ધર્મને નામે આ ધબ્બો છે.. કલંક છે.. તાત્કાલિક ધોરણે આ ગંદા કામ બંધ કરી દો આ સનાતની ધર્મ માટે ખોટું કામ છે તેવું આભાર કિશોરભાઈ ઠક્કર હિન્દુ મહાસભા રાષ્ટ્રીય મહામંત્રી અને પાટણ જીલ્લાના હિન્દૂ સંગઠનો રાધનપુરના હિન્દૂ સંગઠનો અને અખિલ ભારત હિન્દૂ મહાસભા ના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें