સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખૂબજ ઉત્સાહભેર ઉજવાયો હતો.
પાટણ જિલ્લાના કલેકટર માન. તુષારભાઈ ભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પીપરાળા માધ્યમિક અને પ્રાથમિક શાળા, રોઝુ પ્રાથમિક શાળા તેમજ વોવા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંતલપુરના મામલતદાર શ્રી એચ.ડી. પ્રજાપતિ, ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી જયરામભાઈ, BRC શ્રી સામતભાઈ આહીર, ભાજપ તાલુકા પ્રમુખ સવજીભાઈ આહીર, CRC શ્રી દલાભાઈ આહીર, APMCના વાઇસ ચેરમેન તથા પૂર્વ જિલ્લા સભ્ય શ્રી અરજણભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન એલ. પરમાર તેમજ ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાની વયના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો
અને તેમને ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે સાંતલપુર તાલુકામાં હાજર 50% શિક્ષક પદોની ખાલી જગ્યા બાબતે કલેક્ટરશ્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરાંત વિસ્તારના અન્ય મૌલિક મુદ્દાઓ જેમ કે શૈક્ષણિક સુવિધાઓ, પરિવહન અને શાળાકીય જાળવણી અંગે પણ પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રશાસન તરફથી સંવેદનશીલ અભિગમ દાખવાયો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
