આજરોજ રાધનપુર નગરપાલિકા વોર્ડ -૧ના ખારીવાડી, બન્દૂકવાસ તેમજ વોર્ડ -3,4ના સ્થાનિક રહીશ મહિલાઓ સાથે નગરપાલિકા વોર્ડ-૧ના નગરસેવક જયાબેન ઠાકોર સાથે નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફઓફિસરશ્રી ને પીવાનું પાણી ગટરવાળું ભેળસેળ ઘણા સમયથી આવતું હોવાથી આજરોજ રજુઆત અર્થે જતા નગરપાલિકા રેઢીયાળ જોવા મળેલ આ બાબતે અગાઉ પણ ઘણીવાર રજુઆત કરેલ છતાં આંખ આડે કાન કરતા આજે નગરપાલિકામાંથી કર્મચારીઓ મિનરલ વોટર પિતા હોવાથી અને નગરજનોને ગટરનું પાણી પીવડાવતા હોવાથી મહિલાઓ પાણી લઇ ગયેલ અને પ્રશ્નોનું થોડા સમયમાં નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં નગરપાલિકાને તાળા બંધી કરવામાં આવશે
રાધનપુર શહેરમાં આજ રોજ વોર્ડ નં. 1ના કોંગ્રેસ નગરસેવીકા જયાબેન ઠાકોરના નેતૃત્વમાં ખારીવાડી, બન્દૂકવાસ, વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 4ની અનેક મહિલાઓએ નગરપાલિકા ખાતે ઉગ્ર ઘેરાવ કર્યો હતો.
શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું ભેળસેળ પાણી આવતું હોવાની ફરિયાદો વચ્ચે સતત રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા રોષ ફાટી નીકળ્યો હતો.
નાગરિકોના આરોગ્ય પર પડતા ગંભીર પ્રભાવોને લઈ સ્થાનિક મહિલાઓએ કહ્યું કે હાલત એવા છે કે રોગચાળો ફાટી નીકળે તેવા અણસાર છે.
શહેરની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થાને લઈ નગરપાલિકા મૂંગીબૂધી બની છે, તેવો ગંભીર આક્ષેપ થયા હતા
જ્યારે઼ જયાબેન ઠાકોર અને મહિલાઓ નગરપાલિકા પ્રમુખને રજૂઆત આપવા તેમના ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે ચેમ્બર ખાલી જોવા. મળી હતી.
ન તો પ્રમુખ હાજર હતા, ન તો ચીફ ઓફિસર ઉપલબ્ધ હતા.
અજીબ ઘટના ત્યારે બની જ્યારે પ્રમુખના પતિ વિક્રમભાઈ જોષી ઉપપ્રમુખની ખુરશી પર બેસી ગયા. જયાબેન ઠાકોરે સવાલ કર્યો કે તેઓ કયા હોદ્દા હેઠળ ત્યાં બેઠા છે, તો તેઓ તરત જ ચેમ્બર છોડીને નિકળી ગયા હતા.
સ્થાનિક મહિલાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે,
“અમે નગરપાલિકા પ્રમુખ ક્યારેય જોઈ નથી, હંમેશા એમના પતિ જ કામગીરી કરતા જોવા મળે છે. તો પછી પ્રમુખ કોણ છે? લોકો તો એમ કહેછે કે અમારા પ્રશ્નો સાંભળવા પણ કોઈ જ નથી.”
આ સમગ્ર ઘટનાથી રાધનપુર નગરપાલિકાના વહીવટી તંત્ર પર ગંભીર પ્રશ્નચિન્હ ઊભાં થયા છે.
સ્થાનિકો દ્વારા આવનારા દિવસોમાં નગરપાલિકા સામે આંદોલન તીવ્ર બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
