July 11, 2025 11:10 pm

Radhanpur : રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વ્યાપારીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. 3 વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ ચાલુ

પાટણ જિલ્લાના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી ગયેલા એક વેપારીએ ઝેરી દવા પીવાનું દુસ્સાહસ કર્યું હતું.

તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવ બાદ રાધનપુર પોલીસે 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાધનપુરના એક વેપારીએ પોતાની પત્નીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા.

જો કે, વ્યાજખોરે આ રકમ પર બમણું વ્યાજ માંગતા વેપારી પર 6 લાખ સુધીનો હિસાબ લાદી દીધો હતો.

આર્થિક રીતે પીછા ન પાડી શકતા વેપારીએ બીજા વ્યાજખોર પાસેથી 4 લાખ રૂપિયા લેવા માટે પોતાની કાર ગીરવે રાખી, દર મહિને 20,000 વ્યાજ ચુકવવાની શરત સ્વીકારી હતી.

ત્યારબાદ ત્રીજા વ્યાજખોર પાસેથી 50,000 લીધા બાદ રોજે રોજ 2,500 રૂપિયા વ્યાજ આપવાનું નક્કી થયું હતું.

સતત વધતી ચૂકવણી અને ત્રાસથી ત્રાસી વેપારીએ આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હવે રાધનપુર પોલીસમથકમાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે અને મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ