July 22, 2025 11:22 pm

Radhanpur : રાધનપુરના સરપંચોનો આક્ષેપ:  ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવણીમાં કરી રહ્યા છે ભેદભાવ

નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ચર્ચા ઉઠાવી

રાધનપુર તાલુકાના સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે.

સરપંચોએ રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી કે સ્થાનિક ધારાસભ્ય તરફથી વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ કરવામાં આવે છે.

તેઓના જણાવ્યા અનુસાર તાલુકાની 20થી વધુ ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધીમાં ધારાસભ્ય તરફથી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.

જેના કારણે ગામોમાં વિકાસના કામો અટવાઈ ગયા છે અને લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે.

સરપંચોએ જણાવ્યું કે,

“ધારાસભ્ય દ્વારા અમને ગેરમોખરાના ધોરણે નકારી કાઢવામાં આવ્યા છે, 

જે અમારાં ગામો માટે ન્યાયસંગત નથી. 

ગ્રામજનોની જરૂરીયાતોને અનુરૂપ વિકાસ થવો જોઈએ.”

અંતે સરપંચોએ માગ કરી કે તમામ ગામોને સમાનતા ના આધારે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો રાજકીય ભેદભાવ રાખવામાં ન આવે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें