ચંદ્રુમાણા ગામે સામાજિક સમરસતાના દેવ રામદેવજી અલખ ધુણા એ ભાદરવા સુદ દર્શન બીજ નો ઉત્સવ.અને પાટપૂજન દર વર્ષની જેમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો

જેમાં કચ્છના પૂજ્ય હીરાબા જેઓ ઘણા વર્ષોથી અન્ન નો ખોરાક તરીકે એક પણ દાણો જમતા નથી તેઓ ની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. કચ્છ ના સંત વાણી ના ગાયક ઈશ્વર ભાલાણી અને સાજીંદા ઓ એ ભજન ની રમઝટ બોલાવી હતી.જેમાં સમગ્ર શ્રlવણ માસ દરમ્યાન પાર્થિવ શીવ પૂજન મહોત્સવ રાત્રે 12 વાગ્યા સુધી પૂજ્ય કંચનબા ના સાનિધ્યમાં પૂજ્ય મહેન્દ્ર ભાઈ સાહેબ નો સત્સંગ અને ભક્તજનો ના સંતવાણી નો દોર ચાલ્યો જે નિરંજનભાઈ દવે સાહેબ અને બળવંત સિંહ પરમાર ની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ ચાલ્યો હતો ભજન ભોજન અને ભવ્યતા ના ત્રિવેણી સંગમ સાથે દર્શન બીજ ભવ્ય રીતે ઉજવાઈ હતી પૂર્વ માહિતી અધિકારી ભરત ભાઈ રાવલ. દિવ્યભાસ્કર બ્યુરો પૂર્વ જનક ભાઈ રાવલ. વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્યસંપર્ક વિભાગ પ્રાંત ટોલી ના નીતિનભાઈ વ્યાસ . પાટણના જાણીતા વકીલ શ્રી સુરેશભાઈ તેમજ દિલીપભાઈ તેમજ આજુબાજુના જમણપુર. પીલુવાડા… કુરેજા ..અડિયા… તંબોળિયા વગેરે ગામોથી દર્શન બીજ માં ઉપસ્થિત થવા માટે સમાજ શ્રેષ્ઠિઓ તેમજ ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા .
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
