June 20, 2025 8:07 pm

SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, ઊંઝા ખાતે યોજાયો ભવ્ય શાકોત્સવ…

અનેક પ્રકારના ઉત્સવો, અનેરો માહોલ એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયમાં

સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાની હયાતીમાં ઘણા બધા ઉત્સવોના આયોજન કરી નાના-મોટા સૌને અધ્યાત્મ માર્ગ તરફ વાળ્યા અને આત્માના મોક્ષના માર્ગ સુધી પહોંચાડ્યા. એ જ પ્રણાલીકાના ભાગ સ્વરૂપે SMVS સ્વામિનારાયણ સંસ્થાના આદ્ય સ્થાપક

ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તથા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા વર્તમાનકાળે એવા જ ઉત્સવ મહોત્સવના આયોજન થઈ રહ્યા છે જેમાંનો સુપ્રસિદ્ધ ઉત્સવ એટલે શાકોત્સવ. આજરોજ 29 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ SMVS સ્વામિનારાયણ

મંદિર, વિસનગર રોડ, ઊંઝા દ્વારા શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 4,000થી વધુ મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર અને તાલુકાનાં સત્સંગી બંધુઓ હાજર રહ્યા. આ દિવ્ય પ્રસંગે અણમોલ વાણીનો લાભ આપવા સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી વડીલ સંત પૂજ્ય પૂર્ણસ્વામી દ્વારા દિવ્ય સત્સંગનો અણમોલ લાભ મળ્યો, જેમાં શાકોત્સવનું શું મહત્ત્વ છે તે વિષય પર લાભ આપ્યો હતો. જેમાં સૌ ભક્તો શાક-રોટલાની દિવ્ય પ્રસાદી આરોગી ધન્યભાગી બન્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :-987 986 1970

Leave a Comment

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો 

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો