રાજકોટમાં આજીડેમથી આગળ રામવન આવેલ છે. ત્યાં જગતના તાત એવા ખેડૂતો માટે રેવન્યું વિભાગના નિષ્ણાંત વકીલ તેમજ ખેડૂતોના સાચા રાહબર એવા શ્રી રમણીકભાઈ કોટડીયાના માગદર્શન નીચે રાજકોટમાં રામવનની જગ્યા ઉપર ગુજરાતના પાંચથી પાંચસો કિલોમીટરથી ખેડૂતો સવારે તા.૫-૪ – ૨૦૨૫ના શુભ સવારે ૯ વાગ્યે આશરે ૫૦ ખેડૂતો ભેગા થયા.અને ત્યાં બધા ખેડૂત મિત્રો રામ વનથી આગળ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં ખેતીને લગત રેવન્યુ વિભાગ માટે તમામ માહિતી માટે તાલીમ કેમ્પ યોજવામાં આવેલ. અને ખેડૂત પોતે જ પોતાના વકીલ બને અને સર્વે ભવનમાંથી ખેડૂતોને સાધનિક કાગળ કેમ મેળવવા, ખેડૂતોએ કેવી રીતે અરજી કરવી. સર્વ ભવનમાંથી ખેડૂતો શું શું મેળવી શકે. તે બધી જ તમામ સવિસ્તૃત માહિતી આપી. આ સેમિનાર નોર્મલ ટોકન દરે બે દિવસ અને ૧- રાત્રી ચૈત્ર સુદ – ૮ અને ચૈત્ર સુદ -૯ એટલે ભગવાન શ્રીરામ ચંદ્ર ભગવાનનો જન્મદિવસ ઉપર આ તાલીમ કેમ્પનું આયોજન થયેલ. આ તાલીમ કેમ્પમાં ગુજરાતના ખેડૂતો તેમજ ખેડૂતો તેમજ ખેતીના હિત ચાહકો નિવૃત અધિકારીગણ, ડોક્ટર, તેમજ નવયુવાન ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા અને સરધારથી ખેડૂત અગ્રણી વિનુભાઈ થોરીયા વગેરે ખેડૂતોએ હાજરી આપી.અને રામવનની ભૂમિમાં સવારના પહોરમાં જ રમણીકભાઈને બિરદાવ્યા.ત્યાર પછી સેમીનારમાં બધા ખેડૂતોએ લાભ લીધો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
