April 19, 2025 5:29 am

જીલ્લાના રેશનકાર્ડ લાભાર્થીઓને ૩૦ એપ્રીલ સુધીમાં e-KYC કરવા જીલ્લા પુરવઠાતંત્રની અપીલ

પાટણ જીલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર ખાતેથી અનાજ મેળવતા ૧૧,૭૧,૨૦૦ રેશનકાર્ડ લાભાર્થીઓમાંથી બાકી રહેલ ૦૨,૧૮, ૪૯૩ રેશનકાર્ડ લાભાર્થીઓનું ૩૦ એપ્રિલ સુધીમાં e-KYC કરાવવા જીલ્લા પુરવઠા અધિકારીશ્રીએ સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર, સમી, હારીજ, ચાણસ્મા, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ ગ્રામ્ય તથા પાટણ શહેર તાલુકા કક્ષાએ દુકાનદારો પોસ્ટ વિભાગના e-KYC કરતા કર્મચારીઓ અને તાલુકાના VCE સાથે મીટીંગ યોજવામાં આવી હતી.

અત્યાર સુઘીમાં સાંતલપુર તાલુકામાં ૭૮%, રાઘનપુર તાલુકામાં ૮૦%, સિધ્ધપુર તાલુકામાં ૮૪%, પાટણ ગ્રામ્ય તાલુકામાં ૮૩%, પાટણ શહેર તાલુકામાં ૮૦%, હારીજ તાલુકામાં ૭૭%, સમી તાલુકામાં ૮૦%, ચાણસ્મા તાલુકામાં ૮૪%, શંખેશ્વર તાલુકામાં ૮૩%, સરસ્વતી તાલુકામાં ૮૦% જેટલી કામગીરી થયેલ છે.

૧ મે-૨૦૨૫થી એન.એફ.એસ.એ. મળવા પાત્ર સબસીડી વાળુ અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ઘારકોએ તથા તેમાં સમાવિષ્ટ તમામ સભ્યોએ ૩૦ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં e-KYC ફરજીયાત કરાવવાનું છે. જીલ્લા પુરવઠા તંત્ર દ્રારા ૩૦ એપ્રીલ સુધીમાં બાકી રહેલ અનાજ મેળવતા લાભાર્થીઓ ઘર બેઠા My Ration એપ્લીકેશન માધ્યમથી, ગ્રામ પંચાયત ખાતે ઇ-ગ્રામ સેન્ટરના VCE મારફતે, દુકાનદારો દ્રારા PDS+ એપ્લીકેશન મારફતે, મામલતદાર કચેરી ખાતે કે પોસ્ટ વિભાગના પોસ્ટ મેન દ્રારા e-KYC કરાવવા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें