તારીખ 8-5-25 ગુરુવારના રોજ ઐઠોર ગામે ગામી-ગોઠી પાટીદાર પરિવારોએ સાથે મળી બનાવેલ નવા શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો.
દિવસભર ચાલેલા આ ધાર્મિક આયોજનમાં ગામી – ગોઠી પરિવાર સિવાય અન્ય પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી યજ્ઞ અને દર્શનનો દિવ્ય લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનિય છે કે,
ઐઠોર ગામ તળાવ પાસે છૂટ-છાટ વાળી જગ્યાએ પથ્થર પર સરસ કોતરણી સાથે બનાવેલ આ નવીન મંદિરના આયોજકો દ્વારા અહીં અવારનવાર ભજન – સત્સંગના આયોજન થતા હોય છે.
ગામી-ગોઠી પરિવારો માટે આ મંદિર ભારે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
