કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે
ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૭/૧૧/૨૦૨૧થી આદર્શ આચાસંહિતા બહાર પાડેલ છે અને તેના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારના સમગ્ર વિસ્તારોમાં આવેલા જાહેર મકાનો, ખાનગી મકાનો, માર્ગ, સાઈન બોર્ડ, માઈલ પથ્થરો વિગેરેનો ચૂંટણી પ્રચારના કામે નિરંકુશ ઉપયોગ કરી જે તે સ્થળની શોભા બગાડી સુરૂચીનો ભંગ થાય તેવી શક્યતા જણાય છે. આ પ્રવૃતિ પર અંકુશ રહે તે હેતુથી સાવચેતીના પગલાની આવશ્યકતા જણાય છે.
જે અંતર્ગત શ્રી તુષાર ભટ્ટ(IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૩૭(૧)(છ) થી મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાર મતવિસ્તાર સમગ્ર વિસ્તારમાં તા.૦૨/૦૬/૨૦૨૫ થી તા.૨૭/૦૬/૨૦૨૫ (બન્ને દિવસો સુધ્ધાંત) સુધી નીચે મુજબ અમલવારી માટે ફરમાન કરવામાં આવે છે.
1. કોઈ ઉમેદવાર/સંગઠન/સંસ્થા અથવા પક્ષ કે તેના અનુયાયી/કાર્યકારી/સમર્થકો કે હમદર્દએ ખાનગી મકાનના માલિકની માલિકીની મિલ્કતો જમીન, મકાન, કંપાઉન્ડની દિવાલનો ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમ્યાન પોસ્ટરર્સ ચોટાડવા, ચિત્રો લખવા, પ્રતિક ચીતરવા, ધ્વજદંડ ઉભા કરવા, સુત્રો લખવા, પતાકા લટકાવવા, નોટીસો ચોંટાડવા કે પ્રદર્શિત અંગે કોઈ સ્થાનિક કાયદો ન હોય અને જો હોય તો તે કાયદાના નિયંત્રણને આધીન ખાનગી મિલ્કતના માલિક સ્વેચ્છાએ પરવાનગી આપે તો સહેલાઈથી દુર કરી શકાય તેવા જાહેરાતના ધ્વજ/બેનર્સ વિગેરે તે ખાનગી માલિકીની મિલ્કત પર લગાવી શકાશે. જો સ્થાનિક કાયદો દિવાલ પર લખાણ લખવા કે પોસ્ટર ચોટાડવા પર સ્પષ્ટ પણે મંજુરી આપતો ન હોય તો ખાનગી મિલકત પર તેની સુધારી ના શકાય તે રીતે બગાડે તેવા લખાણો કે પોસ્ટર્સ મિલ્કત માલિકીની મંજુરી મેળવીને પણ લખી શકાશે નહિ/પોસ્ટર્સ ચોટાડી શકાશે નહી. જો સ્થાનિક કાયદો ખાનગી માલિકીની મિલ્કત પર મંજુરી લઈને લખાણ લખવા કે પોસ્ટર્સ ચોટાડવા સ્પષ્ટપણે મંજુરી આપતો હોય તો ઉમેદવાર/પક્ષ મિલ્કત માલિકની અગાઉથી મંજુરી લઈને તેમ કરી શકાશે અને માલિકની મંજુરીની નકલ તેમજ તે લખાણ અને પોસ્ટર્સ ની ઝેરોક્ષ નકલ સાથે ચૂંટણી અધિકારીને કે ચૂંટણી અધિકારીએ તે માટે નિમેલા અધિકારીને ત્રણ દિવસની અંદર નિયત નમુનામાં મોકલવાની રહેશે.
આવા પોસ્ટર્સ કે લખાણો પ્રજામાં ધિકકારની અને દુશ્મનાવટની લાગણી ન ફેલાવે તેવા હોવા જોઈએ. સ્થાનિક કાયદા કે કોર્ટનો કોઈ હુકમ હોય તો તેને આધીન રાજકીય પક્ષો/ઉમેદવારો/તેઓના કાર્યકરો/તેઓની પોતાની માલિકીની મિલ્કત પર તેઓની સ્વેચ્છાએ અને કોઈપણ જાતના દબાણ વગર અને બીજાને તકલીફ ન પહોચાડે તે રીતે બેનર્સ/ધ્વજ/કટઆઉટ મુકી શકાશે.
2. હોડીંગ્સની સાઈઝ ૧૫ ફુટ × ૮ ફુટથી વધારે હોવી જોઈએ નહી.
3. કટઆઉની ઉંચાઈ ૮ ફુટથી વધવી જોઈશે નહી.
4. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે.
5. કોઈ ઉમેદવાર / સંગઠન/સંસ્થા અથવા પક્ષ કે તેના અનુયાયીઓ / કાર્યકારી / સમર્થકો કે હમદર્દો કોઈપણ પ્રકારની જાહેર મિલકતોનો ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉપર જણાવેલ કાર્ય માટે ઉપયોગ કરી શકાશે નહિ.
જાહેર મિલ્કત એટલે જાહેર મકાનો, માર્ગો મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરીમાર્ગ પર માઈલ પથ્થરો, રેલ્વે ફાટકના ચેતવણીના બોર્ડ, રેલ્વે પ્લેટ ફોર્મ, બસ ટર્મીનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થશે.
આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૧૩૫ (૧) હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના હાજર પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓએ કરવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
