July 11, 2025 10:32 pm

પટેલ કરશનભાઇ વીરાભાઇની 25 મી પુણ્યતિથિ નિમિતે તેમના પૌત્ર ડૉ. ધવલે આખા ઐઠોર ગામના તમામ બાળકો અને વિદ્યાર્થીઓને જમાડી દાદાની યાદગીરી જીવંત કરી.

 

શ્રાદ્વ એટલે પિતૃઓના આશીર્વાદ મેળવવાના દિવસો.

શ્રાદ્વના દિવસો હવે પુરા થવા આવ્યા.

આ 15 દિવસોમાં કદાચ એકેય હિન્દુ પરિવાર એવો નહિ હોય જે પોતાના પિતૃઓના આત્માનું કલ્યાણ અને આશીર્વાદ નહિ ઈચ્છતો હોય.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના યુવા અને ઉત્સાહી ડૉ. ધવલકુમાર નટુભાઈએ પટેલે પોતાના સ્વર્ગીય દાદા શ્રી કરશનભાઇ વીરાભાઇ પટેલ (સાખે -સાવદરા, ઠે -સુંસરીઓ વાસ) ને સમાજમાં જીવંત રાખવાના અને તેમના આશીર્વાદ મેળવવાના હેતુસર આજ 28-09-24 શનિવાર, એકાદશી ના રોજ઼ બપોરે શ્રાદ્વના પુણ્ય સાળી દિવસોમાં આખા ઐઠોરની સ્કૂલોમાં ભણતા આશરે 750 જેટલા બાળકો – વિધાર્થીઓ, સ્ટાફ તથા સબંધીઓ મળી કુલ 1200 જેટલા વ્યક્તિઓને ભરપેટ ભોજન કરાડાવ્યું હતું.

 

સમગ્ર વ્યવસ્થા પરિવારજનોએ સાચવી લીધી હતી.

શ્રી અંબાજી માતાજી મંદિરની વાડીમાં સમગ્ર પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આખા ગામ અને ખેતરોમાં રખડતા કુતરાઓ માટે પણ લાડવા ખવડાવવાનું ગોઠવેલ છે.

સમાજમાં ભાગ્યે જ જોવા મળી શકે તેવી ડૉ. ધવલની પોતાના દાદા માટેની લાગણી પ્રસંશાને પાત્ર બની છે.

 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ