રાજકોટ તા.૧૪-૦૬-૨૦૨૫ના રોજ રેવેન્યુ નિષ્ણાંત એવા રમણીકભાઈ કોટડીયા દ્વારા રાજકોટમાં આજીડેમથી આગળ રામવન પટાંગણમાં સવારે ૯ વાગ્યે આખા ગુજરાતમાંથી ખેતીવાડી રેવન્યુની માહિતી લેવા દર વખતની જેમ ભેગા મળ્યા.ત્યાંથી થોડે દૂર રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈ કોટડીયાની વાડીમાં પાંચમો તાલીમ કેમ્પ રાખવામાં આવેલ.
અને સવારે આશરે તાલીમ કેમ્પની શરૂઆત કરતા પહેલા જ ગુજરાતમાં મોટામાં મોટો અકસ્માત પ્લેન ક્રેશ થવાથી ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી લાડીલા રૂપાણીભાઈ તેમજ આશરે ૨૭૦ દિવંગતોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે એમ રમણીકભાઈ કોટડીયા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ પાનશેરીયા તેમજ ગુજરાતમાંથી આવેલ જગતના તાત એવા ખેડૂતોએ મૌન રાખી ઓમ શાંતિ શાંતિ શાંતિ બોલી પ્રભુને પ્રાર્થના કરી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
