June 18, 2025 8:24 pm

Santalpur | સાંતલપુર તાલુકાની 156 આંગણવાડીઓમાં ચાર મહિનાથી તેલનો જથ્થો આપવામાં આવ્યો નથી 

Santalpur. આંગણવાડી કાર્યકરો લોકફાળાથી તેલ લાવી રહી છે

સરકાર દ્વારા ગુજરાતના 11 જેટલા મહત્વકાંક્ષી તાલુકા જાહેર કરવામાં આવ્યા છે

જેમાં પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો મહત્વકાંક્ષી જાહેર કરવામાં આવે છે અને તેમાં આરોગ્ય અને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા શિક્ષણ પાસે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે

પણ જિલ્લાના અણધડ વહીવટને કારણે સાંતલપુર તાલુકાની 156 આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ચાર મહિનાથી તેલનો જથ્થો આપવામાં આવ્યો નથી

જેને લઇ આંગણવાડી કાર્યકર બહેનો મુશ્કીલમાં મુકાય છે જ્યારે અમે અમુક આંગણવાડીની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે

છેલ્લા ચાર મહિનાથી તેલ આપવામાં આવી નથી અમે પરસ્પરસ એકબીજી આંગણવાડી માંથી તેલ લાવતા હતા પણ અત્યારે એ પણ આંગણવાડીમાં તેલ ન હોય અમે લોક ફાળો કરી તેલ લાવી રહ્યા છીએ

અને બાળકો માટે નાસ્તો બનાવી રહ્યા છીએ સાંતલપુર તાલુકામાં 156 જેટલી આંગણવાડી આવેલી છે

આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ચાર મહિનાથી તેલનો જથ્થો આપવામાં આવ્યો નથી જેને લઇ કાર્યકર બહેનો મૂંઝવણમાં મુકાય છે તેલનો જથ્થો ન હોવાથી આંગણવાડી કાર્યકર બહેનો લોકફાળા માંથી તેલ લાવી બાળકો માટે નાસ્તો બનાવે છે

બાળકોને આપવામાં આવતો નાસ્તો થેપલા દાળભાત ચણા ભાત વધારેલા ઢોકળા જેવો મેનુ પ્રમાણે નાસ્તો આપવામાં આવતો હોય છે

આ તમામ નાસ્તામાં તેલનો ઉપયોગ થતો હોય છે આંગણવાડી બહેનોને પૂછતા તેમને જણાવ્યું કે છેલ્લા ચાર મહિનાથી તેલ આપવામાં આવ્યું

નથી તેમને વધુમાં કહ્યું કે કોઈ વખત તેલ નથી આવતું કોઈ વખત આટો નથી આવતો કોઈ વખત ચોખા નથી આવતા અવારનવાર આવું બનતું હોય છે અમારે કેટલી વખત લોક ફાળો કરવો હવે તો કોઈ લોક ફાળો આપવા પણ તૈયાર નથી થતું અમે મહામુસીબતે બાળકો માટે નાસ્તો બનાવીએ છીએ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें