Radhanpur. હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુરમાં કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને અને પ્રિ. ડૉ.સી.એમ.ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ તા.18/6/2025 ના રોજ શૈક્ષણિક વર્ષ 2025-26 ની શરૂઆત ડૉ.ટી.ડી.વ્યાસ દ્વારા સત્યનારાયણની કથાથી કરવામાં આવી. ત્યારબાદ સ્ટાફ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.પ્રિ. ડૉ.સી.એમ. ઠક્કર સાહેબે બધા અધ્યાપકને આવકારી નવા વર્ષમાં અભ્યાસક્રમ, નીતિ-નિયમો અંગે, ટાઈમ ટેબલ અંગે તેમજ વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિ અંગેનો તેમને ચિતાર આપ્યો.તેમજ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.ડૉ.એસ. એન.ઓઝા એ શ્લોક ગાન કરી કોલેજના અધ્યાપકો દ્વારા બે મિનિટનું મૌન ધારણ કરી દિવ્ય આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ પ્રિ.ડૉ.સી.એમ.ઠક્કરે શાબ્દિક શબ્દોથી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ દુઃખની લાગણી વ્યક્ત કરી.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ મુલાણી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાયચંદભાઈ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
