પાટણ શહેરના વોર્ડ નં. 9માં આવેલી ક્રિષ્ના સોસાયટીના રહીશો છેલ્લા ૧૨ મહિનાથી ઊભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
ગટરના ગંદા પાણી રસ્તાઓ પર રેલાતા હોવાથી અસ્વચ્છતાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને રોગચાળાની દહેશત સર્જાઈ છે.
સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે, આ સમસ્યા અંગે અનેકવાર પાટણ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી.
જેના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે અને બાળકો સહિત વૃદ્ધો તકલીફનો સામનો કરી રહ્યા છે.
ગટરના પાણીનાં કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધથી પરિચિત છે અને અહીંના રહેવાસીઓના રોજિંદા જીવન પર ખરાબ અસર પડી રહી છે.
રહેવાસીઓએ ચિમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક આ સમસ્યાનું ઉકેલ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં પાટણ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરશે.
રહેવાસીઓએ એ પણ ચેતવણી આપી છે કે હલ્લાબોલ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોની રહેશે.
સવાલ એ છે કે સ્થાનિક તંત્ર ક્યારેળ સુધી આ જાતની ગંભીર સમસ્યાઓ સામે આંખ મુકીને બેઠું રહેશે? ગંદકી અને અસ્વચ્છતાથી બચવા માટે રહેવાસીઓ હવે લડતના મંચ પર ઉતરવાની તૈયારીમાં છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
