June 24, 2025 5:06 am

Radhanpur : રાધનપુર નગરપાલિકા મા ગેરકાયદેસર કતલખાનાં સામે અખિલ ભારત હિન્દુ મહાસભાની ચીમકી – 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ અને રામધૂન”

રાધનપુરમાં જાહેર રસ્તાઓ ઉપર બકરા તથા મરઘાંના કતલખાનાઓ તથા મટન હોટલો ધમધોકાર ચાલુ છે. અનેક જગ્યાએ ગંદકી, દુર્ગંધથી શહેરની જનતા ત્રાહીમામ…

અખિલ ભારત હિન્દુ મહાસભાની પાટણ જિલ્લાની ટીમ દ્વારા રાધનપુર નગરપાલિકાને સત્તાવાર રજૂઆત કરવામાં આવી કે શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાનાઓ તથા મટન હોટલો ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી રહી છે અને તેમનો સામાજિક તથા આરોગ્ય પર ગંભીર અસરકારક આરોગ્ય પર અસરકારક ફલસફો થઇ રહ્યો છે.

સંગઠનના જણાવ્યા મુજબ, રાધનપુરમાં જાહેર રસ્તાઓ ઉપર બકરા તથા મરઘાંના કતલખાનાઓ તથા મટન હોટલો ધમધોકાર ચાલુ છે. અનેક જગ્યાએ ગંદકી, દુર્ગંધ અને દારૂ પીનાર લોકોના વહેવાર થી નાગરિકો ત્રાહીમામ હાલતમાં છે. ખાસ કરીને વારાહી હાઈવે પાસેથી આવેલી હોટલોમાં મારામારી જેવી ઘટનાઓ પણ બનતી રહી છે અને પોલીસમાં નોંધ પણ કરવામાં આવી છે.

ગત 28 ડિસેમ્બર 2024ના રોજ નગરપાલિકા દ્વારા આવા 25 ઇસમોને નોટિસ આપવામાં આવી હતી, છતાં આજ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે નાગરિકો તથા સંગઠનના હોદ્દેદારોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

હવે અખિલ ભારત હિન્દુ મહા સભા સંગઠ દ્વારા ચીમકી આપી છે કે જો આગામી 3 દિવસમાં નગરપાલિકા દ્વારા કતલખાનાઓ બંધ નહીં કરાય, તો અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો નગરપાલિકા કચેરીએ ધરણાં પર બેસી રામધૂન બોલાવશે તથા ઉપવાસ કરશે.

આ ચીમકી આપનારા અગ્રણીઓમાં પાટણ જિલ્લાના પ્રમુખ નાનજીભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ, સાંતલપુર તાલુકાના પ્રમુખ સહીત ગૌ રક્ષકોએ જાહેર કર્યું કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ અન્ન ત્યાગ કરશે અને બહોળી સંખ્યામાં અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો ધરણાં પર બેસી રામધૂન બોલાવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા ક્યારે આ ગેરકાયદે કતલખાનાઓ પર તાળા મારશે કે કેમ.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें