રાધનપુરના પાંચ મિત્રો રણુંજાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના બાલોતરા નજીક ભારતમાલા એક્સપ્રેસવે પર કાર ગમખ્વાર અકસ્માતનો શિકાર બની હતી.
મુથલી બોર્ડર પાસે ઊભેલી ટ્રક પાછળ કાર જોરદાર રીતે અથડાતા દુર્ઘટનામાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતકોમાં કાંકરેજ તાલુકાના માનપુર ગામના દેવગીરી ગૌસ્વામી તથા રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના સુરેશભાઈ જોશીનો સમાવેશ થાય છે.
જ્યારે ઘાયલ યુવકો રાધનપુર અને આસપાસના ગામોના હોવાનું જાણવા મળ્યું છે.
ઘાયલોમાં એકની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તમામ મિત્રો રણુંજાના દર્શનાર્થે ગઇકાલે વરના ગાડીમાં ગયેલા અને દર્શન પુર્ણ કરી પરત ફરી રહ્યા હતા.
બાલોતરા નજીક ટ્રક પાછળ અચાનક તેમની કાર ઘૂસી જતાં કારનાં ધજાગરા ઉડી ગયા હતા. અંધારું અને ઝડપ અકસ્માતનું કારણ બન્યું હોવાનો અનુમાન છે.
દુર્ઘટનાના અવાજ સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતાં મૃતક અને ઘાયલ યુવકોના પરિવારજનો દર્દભરી સ્થિતિમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
