કાંકરેજ મામલતદારની સખત કાર્યવાહી: રોયલ્ટી પાસ વિના ચાલતાં ૧૧ ઓવરલોડ વાહનો ડિટેન
કાંકરેજ: સ્થાનિક પ્રશાસન દ્વારા ખનિજ ચોરી અને રોયલ્ટી વિના પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મામલતદારશ્રી કાંકરેજની અધ્યક્ષતામાં એક ખાસ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ખનિજ વિભાગની ટીમે સઘન તપાસ કરી.
તપાસ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી હિતેન્દ્ર સુથાર અને માઈન્સ સુપર્વાઇઝર શ્રી ભગીરથ ગોહિલ દ્વારા વિવિધ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન રહદારીમાં ચાલતાં કુલ ૧૧ વાહનો રોયલ્ટી પાસ વિના અને ઓવરલોડ સ્થિતિમાં પકડાયા હતા.
આ તમામ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરતાં પાઈવાને પગલે ડિટેન કરવામાં આવ્યા છે.
ખનિજ વિભાગની ટીમે જણાવ્યું કે આવા કાયદાકીય ભંગ સામે તંત્ર આગામી દિવસોમાં પણ આકરી કાર્યવાહી કરશે.
સ્થાનિક વાસીઓ અને જવાબદાર તત્વોએ પણ પ્રશાસનના પગલાની પ્રશંસા કરી છે તથા આવિષયે સતત કામગીરી ચાલુ રાખવાની માગ ઊઠી છે.
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
