નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ચઢાવ ગામે પ્રાથમિક શાળામાં “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” યોજાયો. ગુજરાત સરકાર દ્વારા કન્યાઓમાં શિક્ષણ ના સ્તર ને ઊંચું લાવવા અને સરકારી શાળા ઓમાં વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તે હેતુથી દર વર્ષે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત ચઢાવ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ પાત્ર બાળકોને પુસ્તકોની કીટ આપી અને તિલક કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણલાલ ગાયકવાડ સાહેબ શ્રી (આદર્શ નિવાસી શાળા વાંસદા આચાર્યશ્રી) તેમજ કનુભાઈ ચૌધરી સાહેબ,ગૌરાંગભાઈ પટેલ, ગામના આગેવાનો ,નિવૃત શિક્ષક ,વાલીઓ અને ગામના નવનિયુક્ત સરપંચ શ્રીમતિ નિલેશ્વરીબેન મનીષભાઈ પટેલ, માજી સરપંચ શ્રી રોહિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. સરપંચ શ્રીમતિ નીલેશ્વરીબેન તરફ થી શાળા ના દરેક બાળકો ને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામા આવી.
રિપોર્ટર ભરત પટેલ નવસારી
