June 30, 2025 3:43 pm

વિજય વિદ્યામંદિર – દાંતીવાડા માં દિલીપ કુમાર રાણા સાહેબ Commissioner of Higher education (IAS) ગાંધીનગર ની અધ્યક્ષતા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

તારીખ 27/6/2025 ના રોજ વિજય વિદ્યામંદિર દાંતીવાડા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો.

આંગણવાડી ના ભૂલકાઓ , પ્રાથમિક શાળા ના બાળકો અને ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓને નવીન પ્રવેશ શ્રી દિલીપકુમાર રાણા સાહેબ Commissioner of Higher education (IAS) ગાંધીનગર અને કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ બાદ શાળા ના પ્રાંગણ માં બંને મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં પ્રોબેશન પિરિયડમાં નવ નિયુક્ત થયેલા કલેકટર શ્રી અભિષેકભાઈ સાહેબ, ધાનેરા S.D.M.શ્રી કલ્પેશભાઈ ઉનડકટ સાહેબ,ઈ.ચા.મામલતદારશ્રી વિરમાભાઈપટેલ સાહેબ,નીરુબા રાજપૂત ટી.પી.ઓ.સાહેબશ્રી- દાંતીવાડા તાલુકા પંચાયત, શ્રી મહેશભાઈ ગામી સાહેબ -આચાર્ય શ્રી વર્ગ -2 મહુડી સરકારી હાઈસ્કૂલ, શ્રી દશરથભાઇ ચોધરી બી.આર.સી. દાંતીવાડા, શ્રી મનોજકુમાર મોદી સી.આર.સી. દાંતીવાડા, વિજય વિદ્યામંદિર દાંતીવાડા ના આચાર્ય શ્રી બળવંતભાઈ મનસુખલાલ રાવળ, શાળા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબ, ઉપપ્રમુખ શ્રી મણીલાલ પઢિયાર

શ્રી ઈશ્વરસિંહ સોલંકી – પૂર્વ તાલુકા પ્રમુખશ્રી તાલુકા પંચાયત દાંતીવાડા, શ્રી ગણપતભાઈ રાજગોર- પૂર્વપ્રમુખ ભાજપ દાંતીવાડા તાલુકો , મુની બાવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી,SMCના પ્રમુખ શ્રી, વાલીમંડળના પ્રમુખ શ્રી, નવીન ચૂંટાયેલા સરપંચ શ્રી, મા.ઉમા.અને પ્રાથમિક શાળા ના તમામ શિક્ષક મિત્રો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળાનુ પરીણામ અને શાળામાં થતી પ્રવૃતિઓ નિહાળી કલેકટર સાહેબ શ્રી એ શાળા ના વિકાસ માટે 500000/- અંકે પાંચ લાખ રૂપિયા પુરાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.આભારવિધિ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી શમરાજી ઘાડિયા એ કરી હતી.

રિપોર્ટર રાવળ અસ્મિતા બી. (.બી.કે.)

 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें