સાંતલપુર તાલુકાના સિધાડા પે.સેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ ની શાનદાર ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર આપવાનો હતો.
કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.
જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંતલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ, સીઆરસી કો રાજેશભાઈ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસ તથા આંગણવાડી સુપરવાઈઝર, સીધાડા સરપંચ મહેબૂબભાઈ થેબા, એસએમસી અધ્યક્ષ સલીમભાઈ, હાજીભાઈ, ફૈજુભાઈ, મહંમદભાઈ, અશરફભાઈ, આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
શાળાના શિક્ષકએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના હેતુ વિશે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સમાજમાં શિક્ષણના પ્રસાર માટે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે, ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર ૩૯ ભૂલકાઓને પુસ્તકો તથા શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં હાર્દિક આવકારવામાં આવ્યા હતા.
બાળકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટપણે દેખાતો હતો. વાલીઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને શાળાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમાં My School અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ થયો હતો.
આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તથા સૌથી વધુ હાજરી ધરાવનાર, CET અને જ્ઞાન સાધના પરીક્ષા મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સીઆરસી રાજેશભાઈ એ પોતાના પ્રવચનમાં કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને દીકરીઓને શાળાએ મોકલવા માટે વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે શિક્ષિત દીકરીઓ બે પરિવારોને ઉજાગર કરે છે અને સમાજની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ કાર્યક્રમ સિધાડા પે સેન્ટર શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં શિક્ષણનું સકારાત્મક વાતાવરણ વધુ સુદ્રઢ બન્યું હતું.
અંતમાં શાળાના આચાર્યભાવેશભાઈ પંચાલ દ્રારા આભા્રવિધિ રજુ કરવામાં આવી.
શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
