ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈને ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા પ્રમુખ કમલેશભાઈ પાટડિયા ના નેતૃત્વમાં જેમાં તુલસીશ્યામ રેજના આર.એફ.ઓ રાજલબેન પાઠક, કોઠારી સ્વામી શ્રી સ્વામીનારાયણ
ગુરુકુલ ખાંભા , ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ તેમજ પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી તેમજ જે એન મહેતા હાઇસ્કુલના આચાર્ય કે. ડી.સતાસિયા તેમજ ખાંભા પીજીવીસીએલના અધિકારી તેમજ એડવોકેટ
રાજુભાઈ હરિયાણી . કશ્યપભાઈ પંડ્યા ભરતભાઈ સખવાળા તેમજ રાજકીય આગેવાનો તેમજ અન્ય સેવા ભાવિ સંસ્થા તેમજ પત્રકાર મિત્રો ઓ સહિત ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જ આરએફઓ રાજલબેન પાઠક પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું આપ સૌ જાણીએ છીએ કે વૃક્ષો હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપવાનું કામ કરે છે જેની વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને મદદ બનવા માટેની આ પહેલી પહેલ કરેલ છે આપ સર્વે લેવો જોઈએ કે આપણે એક વૃક્ષ વાવી
તેનું ઉછેર કરીએ તો આપ સૌ મળી અને પર્યાવરણને બચાવવામાં સહભાગી બની શકીએ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભારે જેહમત ઉઠાવી હતી.
