July 18, 2025 3:14 am

વિજય વિદ્યામંદિર દાંતીવાડા માં EK.PED.MAA.KE.NAAM 0.2 -” એક પેડ મા કે નામ” થીમ અંતર્ગત ૧૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા નો એક પ્રયત્ન એટલે “એક પેડ મા કે નામ”અંતર્ગત વિજય વિદ્યામંદિર દાંતીવાડા હાઈસ્કૂલ ના ECO -CLUB -ઈનચાર્જશ્રી પી.જે.દેસાઇ દ્વારા શાળા ના વિધાર્થીઓને સ્વરછ હવા, વરસાદી પાણી નોસંગ્રહ, ઇકોલોજી અને પર્યાવરણ વિશે સમજણ આપવામાં આવી હતી.

” વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો”, વૃક્ષો વાવો વરસાદ લાવો.આ સુત્ર ને સાર્થક કરવા માટે તમામ વિધાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને વિધાર્થીઓને એમની માતા ના નામ ઉપર એક -એક વૃક્ષ વાવવા માટે આપવામાં આવ્યું હતું.બે વર્ષ આ વૃક્ષોની સારસંભાળ લેવાની વિધાર્થીઓએ ખાતરી આપી હતી.શાળા ના આચાર્ય શ્રી બી.એ.રાવળે પણ એક વૃક્ષ એમની માતા ના નામ ઉપર વાવ્યું હતું

રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें