નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાંથી પસાર થતાં ચંદ્રની દ્રની ભૂમિને શરમાવે એવા વાપી-શામળાજી હાઇ વે પર રખડતા ઢોરોનો ત્રાસ વકરી રહ્યો છે. હાઈવે પર રખડી રહેલા કે અડીંગો જમાવી બેસતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી બની રહયા છે. છતાં સબંધિત તંત્ર દ્વારા હાઈવે પરથી રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા અંગે કોઈ કામગીરી થતી નથી. રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા અંગે તંત્રની ઉદાસીનતાને કારણે રખડતાં ઢોર આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો માટે જોખમી બની રહયા છે. ઢોરના ત્રાસને કારણે વાહનચાલકોને હેરાનગતિ પણ થઈ રહી છે. રખડતાં ઢોરને કારણે કોઇ અકસ્માત થાય, જાનહાની કે અન્ય નુક્સાન થાય તો તેની જવાબદારી કોણ લેશે એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.વાંસદા પંથકમાં અને વિશેષ કરીને આ પંથકમાંથી પસાર થતાં હાઇવે પર દિવસે દિવસે રખડતા ઢોરોનો આતંક વધી રહયો છે. છતાં તંત્ર દ્વારા ઢોર પકડવા અંગે કોઈપણ કામગીરી થતી નથી. નેશનલ હાઈવે નં. ૫૬ પર રખડતા ઢોરોને કારણે ભયનો માહોલ વ્યાપ્યો છે. ત્યારે દિવસ-રાત્રિ દરમિયાન વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ઘણીવાર આખલા ઓ બાખડતા હોય છે. જે લોકોમાં ભયનો માહોલ ઉભો કરે છે.કોઈ ગંભીર ઘટના બને એ પહેલા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief