હિન્દુ ધર્મની રામાનંદ વૈષ્ણવ સંપ્રદાય દિગંબર અની અખાડા પ્રેરિત આ સ્થાનમા હનુમાનજીની મૂર્તિ દક્ષિણા મુખી દિશા ધરાવે છે અને જમણા પગમાં પનોતી દબાવેલી છે.
મૂર્તિમા ૐ આકાર કુદરતી રીતે જ દેખાઈ આવે છે.
થોડા વર્ષો પહેલા શ્રી ધ્યાન યોગી મધુસુદન દાસ મહારાજે પોતાની તપોભૂમિ બનાવી પછી આ જગ્યા ખુબ જાગ્રત થઇ ગઈ છે.
મોગલો અને વિધર્મીઓના આક્ર્મણ સમયે બચાવ હેતુ કોઈએ આ મૂર્તિ છુપાવેલી તે સાડા ત્રણ કિલોમીટર દૂર બાજુના ગોઢ ગામના એક કુવામાંથી આ મૂર્તિ મળેલી પછી તે બળદગાડામા લાવવામાં આવેલી તેનો ઇતિહાસ પણ ખુબ રસપ્રદ છે.
આ સ્થાન આશરે 950 વર્ષ જૂનું છે. 450 વર્ષ પૂર્વે થઇ ગયેલા પરમ તપસ્વી શ્રી જાનકીદાસ મહારાજની સમાધિ અને તેના પર પગલાં પણ છે.
મેઈન રોડથી અંદર આવેલા આ એકાંત સ્થાન પર અનુષ્ઠાન કરવાની પણ પૂર્ણ વ્યવસ્થા મહંત શ્રી એ કરેલ છે.અહીં ગુરુપૂર્ણિમા એ ગુજરાતના છેડે-છેડે થી ભક્તો દર્શનાર્થે આવે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
