દરેક સંકટ ચોથમા હજારો ભક્તો ઐઠોર ગામે દર્શનાર્થે આવતા હોય છે, તેમાં વળી માગસર મહિનાની આજની મોટી ચોથની ભક્તોની અપાર ભીડ હોય છે.
ઐઠોર ગામ એટલે કળિયુગના જીવંત- સિંદૂરીયા-ડાભી સુંઢાળા દેવ શ્રી ગણપતિ દાદાનું ગામ.
દાદાના નામ વિના ગામની ઓળખ સુ?
ગામના બધી જ જાતના સમાજના લોકો સૌ સાથે મળી દાદાનો આ પ્રસંગ ખુબ સારી રીતે પાર પાડતા હોય છે.
દૂર દૂરથી આવનારા ભક્તો માટે પણ આજની તેમની અનેરી સેવા ખુબ વખાણવાલાયક હોય છે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાએ ગામની ચારેબાજુથી આવતા સંઘ અને છૂટક પગપાળા આવતા ભક્તોને આગ્રહપૂર્વક બેસાડી ચા -પાણી, લીંબુ સરબત,ફરાળ, વેફર અને કચરીયા જેવી અનેક સુવિધાઓ ખુબ ભાવપૂર્વક પીરસતા હોય છે.
પાકો મંડપ બાંધી પાર્કિંગ સાથેની વ્યવસ્થા કરી ઐઠોર ગામથી દૂર રસ્તા અને ખેતર વિસ્તારોમાં પણ કેમ્પ કરી સેવા આપનાર મોટા ભાગના પાટીદાર, ક્ષત્રિય ઠાકોર અને અન્ય યુવા સેવકો આ સેવાનો તમામ ખર્ચ પોતે અને અન્ય દાતાઓ મારફતે ગોઠવી તમામ વ્યવસ્થા માટે વહેલી સવારથી જ હાજર થઇ જતા હોય છે.
કોઈ પણ પગપાળા ભકતને ફરજીયાત તેમની સેવાઓનો લાભ આપવા આગ્રહ કરી ધન્યતા અનુભવે છે.
દાદાના દર્શનાર્થે આવનાર સૌ ભક્તો અને સેવકો – દાતાઓ પર દાદાની અપાર કૃપા બની રહે છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
