બાબરા તાલુકાના કરીયાણા ગામે કાળુભાર નાની સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિની બેઠકમાં ધારાસભ્ય અને સાંસદની ઉપસ્થિત. 

બાબરા તાલુકાના કરિયાણા ગામે આવેલી કાળુભાર નાની સિંચાઈ યોજના અંતર્ગત સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા . 

આ બેઠકમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ હાજરી આપી હતી. આ ઉપરાંત, સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયતના સભ્યો

પ્રભાતભાઈ કોઠીવાળ અને નીતિનભાઈ રાઠોડ, યુવા ભાજપના પ્રમુખ અમરસિંહભાઈ વાઘેલા, ભુપતભાઈ ખાચર, ધીરુભાઈ મેટાળીયા, કરિયાણા ગામના સરપંચ ભરતભાઈ સાકરીયા, ખાખરીયાના સરપંચ વિપુલભાઈ કાચેલા, ગળકોટડીના સરપંચ વાસુરભાઈ ચૌહાણ તથા ગામના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કાર્યપાલક ઇજનેર નિકુંજ પંચાલ અને મનીષભાઈ હડિયાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

આ બેઠકમાં કાળુભાર નાની સિંચાઈ યોજનાના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય અને સાંસદે આ યોજનાને સફળ બનાવવા માટે સહકાર આપવાનું વચન આપ્યું હતું.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें