July 11, 2025 11:52 am

ઐઠોરના તલાટી સાહેબ શ્રી મહેશભાઈ કે. મોદી નિવૃત્ત થતાં 31-12-24 મંગળવારે તેમનો વિદાય સમારંભ ઐઠોર ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો.

તલાટી સાહેબ શ્રી મહેશભાઈ મૂળ વિસનગરના વતની છે અને હાલ ત્યાં જ પોતાના પરિવાર સાથે રહે છે. કોઈ પણ જાતના વાદ-વિવાદથી દૂર રહી દરેક જાતિને સરખા માની કામ કરવામાં સતત ઉત્સાહી રહી ગામલોકોના હૃદયમાં રહી સેવા કરવામાં માનવા વાળા હતા.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વર્ષોથી તલાટી તરીકેમહેશભાઈ મોદી 28 વર્ષની સેવા બાદ નિવૃત્તિ લેતા ઐઠોર ગ્રામ પંચાયતના તમામ સ્ટાફ અને અહીંના મિત્રો, સબંધીઓ સહીત બધા હાજર રહી ગ્રામ પંચાયત હોલમાં જ ભાવસભર વિદાય સમારંભ યોજ્યો હતો. 31-12-24 મંગળવારે યોજાયેલ આ પોગ્રામમાં પૂર્વ સરપંચ શ્રી સુરેશભાઈ પટેલે તલાટી શ્રી મહેશભાઈ ને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરી પ્રસંશા પાત્ર શબ્દોથી આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં અમરતભાઈ (કાળુભાઇ)દેસાઈ વી.સી.ઈ સહીત તમામ સટાફ અને ગામલોકો હાજર રહી નિવૃત્તિ માટે શુભકામના પાઠવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :-987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ