સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવિયા અને તેના પરિવાર દ્વારા અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ

ટિંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને આજે એક અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ કાચરડી (ઢસા જં) ના વતની શ્રી પરેશભાઈ પુનાભાઈ તળાવિયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા દ્વારા તેમના સ્વ. પિતા શ્રી પુનાદાદાની સ્મૃતિમાં અર્પણ કરવામાં આવી છે.

આ એમ્બ્યુલન્સમાં ICU સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી ઇમરજન્સીમાં દર્દીઓને હાઇર સેન્ટરમાં ખસેડવામાં સરળતા રહેશે. આ એમ્બ્યુલન્સ ઢસા વિસ્તારના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ અર્પણવિધિમાં પરમ વંદનિય સંતશ્રી અમરગીરી બાપુ (ગરાળ આશ્રમ-ઉના) નાં કરકમળો દ્વારા હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા અને ટ્રસ્ટી સર્વો શ્રી અશોકભાઈ ગીડા, શ્રી બી.એલ.રાજપરા, શ્રી રસીકભાઈ ભીંગરાડિયાને ઢસા વિસ્તારના અગ્રણી ઉધોગપતિશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ જંકશન ખાતે કરવામાં આવી હતી.

હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ દ્વારા શ્રી પરેશભાઈ પુનાભાઈ તળાવિયા અને શ્રી જનકભાઈ તળાવિયા તેમજ તેમનાં પરિવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર માનવામાં આવ્યો છે.

આ એમ્બ્યુલન્સ દર્દી નારાયણોની સેવામાં મહત્વનો ફાળો આપશે તેવી આશા રાખવામાં આવે છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें