આજ 27 જાન્યુઆરી -25 ના રોજ ગુજરાતની વિવિધ પાંજરાપોળના પ્રતિનિધિઓએ સાથે મળી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી ગૌમાતા પોષણ યોજનામાં વધારો કરવા માટે તેમ જ પાંજરાપોળના પડતર પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી. આ પ્રતિનિધિ મંડળમાં દિયોદરના જયંતીભાઈ શાહ, થરાના ચીનુભાઈ શાહ, ઊંઝાથી તેજપાલભાઈ પટવા, મહેસાણાથી જયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીઓએ આ તમામ રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
