કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણના જા. નં.પીબી/ રસ્તા/૭૭૧/૨૦૨૫ તા.૧૪/૦૨/૨૦૨૫થી કાંસા-સરીયદ-સાંપ્રા-ઉદરા રોડ કિ.મી. ૮/૨૦૦ થી ૯/૦૦૦ વચ્ચે સરીયદ બ્રીજના એક્ષ્પાન્શન જોઈન્ટ રીપ્લેશમેન્ટ તથા બ્રીજના એપ્રોચના મરામતની કામગીરી કરવા માટે બ્રીજ ઉપરથી પસાર થતા વાહનોનો ટ્રાફિક તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી પ્રતિબંધિત કરી નીચે મુજબના અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવા માટે જરૂરી મંજૂરી આપવા વિનંતી કરેલ છે.
(૧) કંબોઈ-મેલુસણ-કાંસા-પાટણ કુલ લંબાઈ : ૨૮.૦૦ કિ.મી.(ભારે તેમજ એલએમવી વાહનો માટે)
(૨) સરીયદ-ધનેરા-ખાનપુરડા-પાટણ કુલ લંબાઈ : ૩૩.૨૦ કિ.મી. (માત્ર એલએમવી વાહનો માટે)
(૩) સરીયદ-સોટાવડ-લોધી-મેલુસણ-કાંસા-પાટણ કુલ લંબાઈ : ૩૭.૭૦ કિ.મી.(માત્ર એલએમવી વાહનો માટે)
સદરહુ બાબતે આમુખ-૨ના પોલીસ અધિક્ષકશ્રી, પાટણના પત્ર નં.LIB/જાહેરનામું/૨૯૧/૨૦૨૫ તા.૨૦/૦૨/૨૦૨૫ ની વિગતે (૧) કંબોઈ-મેલુસણ-કાંસા-પાટણ (ભારે તેમજ એલએમવી વાહનો માટે), (૨) સરીયદ-ધનેરા-ખાનપુરડા-પાટણ (માત્ર એલએમવી વાહનો માટે), (૩) સરીયદ-સોટાવડ-લોધી-મેલુસણ-કાંસા-પાટણ (માત્ર એલએમવી વાહનો માટે) ડાયવર્ઝન આપવા અભિપ્રાય આપેલ છે.
સબબ, કાંસા-સરીયદ-સાંપ્રા-ઉદરા રોડ કિ.મી. ૮/૨૦૦ થી ૯/૦૦૦ વચ્ચે સરીયદ બ્રીજના એક્ષ્પાન્શન જોઈન્ટ રીપ્લેશમેન્ટ તથા બ્રીજના એપ્રોચના મરામતની કામગીરીના કામે આ રોડ બંધ કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશક્ય જણાય છે.
જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી નીચેના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવું છું.
(૧) કંબોઈ-મેલુસણ-કાંસા-પાટણ કુલ લંબાઈ : ૨૮.૦૦ કિ.મી. (ભારે તેમજ એલએમવી વાહનો માટે)
(૨) સરીયદ-ધનેરા-ખાનપુરડા-પાટણ કુલ લંબાઈ : ૩૩.૨૦ કિ.મી. (માત્ર એલએમવી વાહનો માટે)
(૩) સરીયદ-સોટાવડ-લોધી-મેલુસણ-કાંસા-પાટણ કુલ લંબાઈ : ૩૭.૭૦ કિ.મી. (માત્ર એલએમવી વાહનો માટે)
શિક્ષા ::- આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવા ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે
ઉક્ત વિગત મુજબ રોડ ઉપરનો ટ્રાફિક બંધ કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવે તે માટે જરૂરી વ્યવસ્થા પોલીસ ખાતા દ્વારા કરવાની રહેશે. તેમજ રોડ બંધ છે તેવા બોર્ડ જે તે સ્થળોએ સ્થાનિક પોલીસે મુકવાના રહેશે. આ જાહેરનામું સરકારશ્રીના અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવું.
The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ
