શંખેશ્વર, સમી અને હારીજ આઈ.ટી.આઈ.માં એકાત્મ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને હૃદય આધારિત ધ્યાન શીખવામાં આવ્યુ

પાટણ જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર, સમી અને હારીજ એમ કુલ ત્રણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા તારીખ ૭, ૮ અને ૯ એપ્રિલના રોજ શંખેશ્વર, સમી અને હારીજ આઇ.ટી.આઇ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે સમજણ આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ અગ્રવાલ, શ્રી અતુલભાઈ શાહ, શ્રીમતી પ્રગતિબેન પટેલ અને શ્રીમતી સરોજબેન સાગર દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें